ગુજરાતથી મુંબઈ જતી ટ્રેનોમાં ભીડ ઘટાડવા રેલવેનો મોટો નિર્ણય, વધારાના કોચ લગાવાશે, જુઓ યાદી

ગુજરાતથી મુંબઈ જતી ટ્રેનોમાં ભીડ ઘટાડવા રેલવેનો મોટો નિર્ણય, વધારાના કોચ લગાવાશે, જુઓ યાદી

અપડેટ કરેલ: 13મી જુલાઈ, 2024


ભારતીય રેલ્વે: લાંબા અંતરની મુસાફરીમાં મુસાફરોને પડતી સમસ્યાને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર મુસાફરોને યોગ્ય સુવિધા આપવા માટે 46 ટ્રેનોમાં વધારાના કોચની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં બેંગલુરુ ભાગલપુર એક્સપ્રેસ (12253/12254), છત્રપતિ શિવાજી ટર્મિનલ નાગપુર સેવાગ્રામ એક્સપ્રેસ (12139/12140) અને કોટા જંકશન દાનાપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ (09817/0988) સહિત ગુજરાતમાંથી પસાર થતી 4 ટ્રેનોમાં વધારાના કોચની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

46 અલગ-અલગ ટ્રેનોમાં 92 નવા કોચ ઉમેરવામાં આવ્યા છે

ગયા શુક્રવારે (12 જુલાઈ), રેલ્વે મંત્રાલયે તેના સત્તાવાર સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી કે, ‘ભારતીય રેલ્વેએ સામાન્ય શ્રેણીના મુસાફરોની સુવિધા માટે 46 વિવિધ લાંબા અંતરની ટ્રેનોમાં 92 નવા કોચ ઉમેર્યા છે. કોચની સંખ્યામાં વધારા સાથે, રેલ્વે મંત્રાલય 22 અન્ય ટ્રેનોની ઓળખ કરવા અને તેમાં વધારાના કોચ લગાવવા માટે પણ તૈયાર છે.’

નવા કોચ જોડવાથી મુસાફરોને રાહત

આ સાથે રેલ્વે મંત્રાલયે કહ્યું કે આ લાંબા અંતરની ટ્રેનોમાં 92 નવા કોચ આપવાથી મુસાફરોને મુસાફરી દરમિયાન કોઈ મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે અને રેલવેમાં મુસાફરી કરવામાં ઘણી રાહત મળશે.

ગુજરાતમાંથી પસાર થતી ટ્રેનોમાં નવા કોચની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે

– 12972/12971 ભાવનગર બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસ

– 19217/19218 વેરાવળ જંકશન મુંબઈ બાંદ્રાસ વેરાવળ જંકશન સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ

– 22956/22955 મુંબઈ બાંદ્રા – ભુજ કચ્છ સુપરફાસ્ટ એક્સપ્રેસ

– 20908/20907 ભુજ દાદર સયાજી નગરી સુપરફાસ્ટ એક્સપ્રેસ

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version