શ્રાવણ માસના દરેક સોમવારે સુરત પાલિકા વિસ્તારમાં તમામ કતલખાના બંધ રાખવા આદેશ

શ્રાવણ માસના દરેક સોમવારે સુરત પાલિકા વિસ્તારમાં તમામ કતલખાના બંધ રાખવા આદેશ

શ્રાવણ માસના દરેક સોમવારે સુરત પાલિકા વિસ્તારમાં તમામ કતલખાના બંધ રાખવા આદેશ

સુરત કોર્પોરેશન : આગામી થોડા દિવસોમાં હિંદુઓનો પવિત્ર શ્રાવણ માસ આવી રહ્યો હોવાથી સુરત મહાનગરપાલિકા દ્વારા ચાલતા તમામ કતલખાનાઓ શ્રાવણ માસના દરેક સોમવારે બંધ રાખવાનો આદેશ પણ પાલિકાએ જારી કર્યો છે.

સુરત મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ વર્ષ 2014થી શ્રાવણ માસના દરેક સોમવારે પાલિકા સંચાલિત કતલખાનાઓ બંધ રાખવાનો ઠરાવ કર્યો છે.આ ઠરાવના આધારે આ વર્ષે પણ શ્રાવણ માસના દરેક સોમવારે એટલે કે 5મી ઓગસ્ટ, 12મી ઓગસ્ટે કતલખાના બંધ રાખવાનો ઠરાવ કરાયો છે. , 19મી ઓગસ્ટ અને 26મી ઓગસ્ટ અને 2જી સપ્ટેમ્બરે પાલિકા સંચાલિત કતલખાનાઓ બંધ રહેશે. આ ઉપરાંત 26મી ઓગસ્ટે જન્માષ્ટમીના તહેવારે પાલિકા સંચાલિત કતલખાનાઓ બંધ રાખવા જાહેર સૂચના પ્રસિદ્ધ કરવામાં આવી છે.

આ સાથે પાલિકાએ એવી પણ જાહેરાત કરી છે કે જેઓ પાલિકા દ્વારા આપવામાં આવેલી સૂચનાનો ભંગ કરશે તેમની સામે BPMC એક્ટ અને બોમ્બે પોલીસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]