કાલુપુર સ્વામિનારાયણ મંદિર સ્થાપના દિવસ : ગુજરાત અને વિદેશમાં સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક મંદિરો આવેલા છે. જો કે, કાલુપુરા સ્વામિનારાયણ મંદિર, સ્વામિનારાયણ સંપ્રદાયનું પ્રથમ મંદિર, સૌથી વધુ મહત્વ ધરાવે છે, કારણ કે આ મંદિર ભગવાન સ્વામિનારાયણની હાજરીમાં બનાવવામાં આવ્યું હતું. આજે કાલુપુર સ્વામિનારાયણ મંદિરનો સ્થાપના દિવસ છે. આ મંદિર 204 વર્ષ જૂનું છે.
કાલુપુર સ્વામિનારાયણ મંદિરનો ઈતિહાસ
કાલુપુર સ્વામિનારાયણ મંદિરનો લાંબો ઈતિહાસ છે. સ્વામિનારાયણ સંપ્રદાયનું આ પ્રથમ મંદિર છે, જેમાં સંપ્રદાયના અનુયાયીઓ ખૂબ જ આસ્થા ધરાવે છે. અમદાવાદના તત્કાલિન અંગ્રેજ કલેકટરે કાલુપુર સ્વામિનારાયણ મંદિરના નિર્માણ માટે જમીન આપી હતી.
કાલુપુર સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ કાર્ય વર્ષ 1819 (વિક્રમ સંવત 1876) માં શરૂ થયું હતું. 3 વર્ષની મહેનત પછી, વર્ષ 1822 માં, ફાગણ સુદ 3 તિથિ, 24 ફેબ્રુઆરીના શુભ દિવસે, કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં સ્વયં ભગવાન સ્વામીનારાયણ દ્વારા ભગવાન નરનારાયણ અને અન્ય દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી હતી. કહેવાય છે કે આ સ્વામિનારાયણ મંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમમાં સંપ્રદાયના અનુયાયીઓ, સામાન્ય લોકો સહિત લગભગ 50 હજાર લોકો હાજર રહ્યા હતા.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/02/24/kalupur-swaminarayan-temple-history-2026-02-24-11-13-32.jpg)
કાલુપુર સ્વામિનારાયણ મંદિરની સ્થાપત્ય શૈલી મંત્રમુગ્ધ છે
કાલુપુર સ્વામિનારાયણ મંદિરની સ્થાપત્ય શૈલી ખૂબ જ મનમોહક છે. મંદિર પરિસરમાં નરનારાયણ મંદિર, અક્ષર ભવન, રંગ મહેલ, મહિલાઓ માટેનું મંદિર અને હવેલી આવેલી છે. મંદિરના પ્રવેશદ્વાર પર ખૂબ જ સુંદર કોતરણી છે, જેની અંદર મનને અદ્ભુત શાંતિનો અહેસાસ થાય છે. મંદિરની એક બાજુએ ત્રણ માળની હવેલી છે, જેનું નિર્માણ આચાર્ય કેશવપ્રસાદ મહારાજ દ્વારા 1871માં કરવામાં આવ્યું હતું. સુંદર કોતરણીથી સુશોભિત લાકડાનો ઉપયોગ હવેલી બનાવવા માટે કરવામાં આવ્યો છે. તો બીજી બાજુ બે માળની હવેલી છે.
પણ વાંચો | આજનો ઈતિહાસ 24 ફેબ્રુઆરી : સેન્ટ્રલ એક્સાઈઝ ડે શા માટે ઉજવવામાં આવે છે?
નરનારાયણ મંદિર
કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન નરનારાયણ દેવ, શ્રી રાધા કૃષ્ણ દેવ, શ્રી ધર્મપિતા, ભક્તિમાતા, હરિકૃષ્ણ મહારાજ, શ્રી બાલ સ્વરૂપ ધનશ્યામ મહારાજ અને શ્રી રંગમહેલ ધનશ્યામ મહારાજની દિવ્ય મૂર્તિઓ બિરાજમાન છે. ભગવાનની મૂર્તિઓને સુંદર વસ્ત્રો અને આભૂષણોથી શણગારવામાં આવે છે.

