![]()
ધોરાજી રાજકોટમાં ST બસ અકસ્માત રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક એસટી બસને અકસ્માત નડ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. શનિવારે (8 નવેમ્બર) રાત્રે મોરબીથી બાંટુ જતી એસટી બસ પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં 20 મુસાફરોને ઇજાઓ થતાં ધોરાજી સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ ભરૂચના આમોદમાં ગમખ્વાર અકસ્માતઃ ટ્રકે ટ્રેક્ટરને ટક્કર મારતાં 2ના મોત, ચાલક ફરાર
મળતી માહિતી મુજબ ધોરાજી-જૂનાગઢ રોડ પર કેનાલ તરફ જતી વખતે એસટી બસ પલટી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને લઈને મુસાફરોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ અકસ્માતમાં બસમાં સવાર 20 જેટલા મુસાફરોને ઇજા થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.


