સુરતમાં અકસ્માત: સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં શુક્રવારે (13 ફેબ્રુઆરી) સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. નેશનલ હાઇવે 48 પર બાલેશ્વર પાટિયા પાસે એક અજાણ્યા ચાલકે રિક્ષાને જોરથી ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે મહિલાઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય બે લોકો ઘાયલ થયા હતા.
પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી
મળતી માહિતી મુજબ, અકસ્માત એટલો ગંભીર હતો કે રિક્ષા પલટી ગઈ અને તેનું પૈડું ઉતરી ગયું. અકસ્માત બાદ અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં ઘાયલ બે વ્યક્તિઓને એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જેમાંથી એકને સામાન્ય ઈજા થઈ હતી. પલસાણા પોલીસે બંને મૃતક મહિલાઓના મૃતદેહ કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પલસાણા પોલીસે ઘટના સ્થળે પહોંચી હાઇવે પર અકસ્માતના પગલે સર્જાયેલી ટ્રાફિક જામની સ્થિતિ હળવી કરી હતી.
આ પણ વાંચો: અમદાવાદથી ભૂતાનની ડાયરેક્ટ ચાર્ટર ફ્લાઈટ શરૂઃ ₹79,000 આવાસ, ભોજન અને ગુજરાતી રસોઈયા સાથે વિશેષ પેકેજ ઓફર કરે છે
ફરાર ચાલકની શોધખોળ
આ હિટ એન્ડ રનની ઘટનામાં પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ફરાર વાહન અને તેના ચાલકને વહેલી તકે પકડી શકાય તે માટે હાઇવે પરના વિવિધ સીસીટીવી ફૂટેજ ચેક કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
