વરાછામાં રત્નકલાકાર અને ગોડાદરામાં મહિલાનું આકસ્મિક મોત

– 45 વાર્ષિક સંદિપ નાકરાણી તેમજ 46 વૃદ્ધ મહિલા તેના જ ઘરમાં બેભાન થઈ જતાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી

સુરત,:

સુરત શહેરમાં ઘણા સમયથી અચાનક બેહોશ થવા અને છાતીમાં દુખાવાથી મોતનો સિલસિલો જારી રહ્યો છે. ત્યારે વરાછામાં 45 વર્ષીય રત્નકલાકાર અને ગોડાદરામાં 46 વર્ષીય મહિલા બેભાન થઈ જતાં મોતને ભેટ્યા હતા.

સ્મીમેર હોસ્પિટલ ખાતેથી પ્રાપ્ત વિગતો મુજબ વરાછાના અશ્વનીકુમાર રોડ ધરમનગર સોસાયટીમાં રહેતા 45 વર્ષીય સંદિપ વેલજીભાઈ નાકરાણી ગત રોજ ઘરે અચાનક તબિયત લથડતા બેભાન થઈને ઢળી પડ્યા હતા. જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. તેઓ મૂળ અમરેલીના હતા. તેમના સંતાનોમાં એક પુત્ર અને એક પુત્રી છે. તે જ્વેલર તરીકે કામ કરતો હતો. અન્ય એક બનાવમાં ગોડાદરાની દેવીદર્શન સોસાયટીમાં રહેતા 46 વર્ષીય લીલાબેન સંજયસિંહ આજે વહેલી સવારે ઘરે અચાનક તબિયત લથડતાં બેભાન થઈને ઢળી પડ્યા હતા. જેથી તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. તેમને 2 બાળકો છે. તેમના પતિ કરિયાણાની દુકાન ચલાવે છે.

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version