અજગરને બચાવી સલામત સ્થળે છોડાવવાની માંગ
આજુબાજુના ગામડાઓમાં અજગરોની સંખ્યામાં વધારો થતાં ગ્રામજનો-ખેડૂતોમાં ભયનો માહોલ
ટેક્સ્ટ
– લખતર તાલુકાના કડુ ગામ પાસે રવિવારે રાત્રે કલામ ગામના પુલ પાસે છેલ્લા ત્રણ દિવસથી બે મહાકાય અજગર ફરી એકસાથે જોવા મળતા ગ્રામજનોમાં ભયનું વાતાવરણ ફેલાયું છે.
લખતરના કલામ ગામનો સ્થાનિક રહેવાસી રિવારની રાત્રે ડમ્પર લઈને કડુથી કલામ જઈ રહ્યો હતો. ત્યારે નર્મદા કેનાલના પુલ પર રાત્રીના સમયે એકસાથે બે અજગર જોતા ચાલકે પોતાનું ડમ્પર થંભાવી દીધું હતું. ડમ્પરના અવાજથી અજગર અંધારામાં ઉડી ગયો હતો. ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ પહેલા કડુ નજીક એક અજગર જોવા મળ્યો હતો. તાલુકામાંથી પસાર થતી નર્મદા વિભાગની મુખ્ય કેનાલના વહેણમાં અજગર જેવા સરીસૃપ જીવો આવી જાય છે. તે પાણીમાંથી બહાર નીકળી સીમ વિસ્તારમાં આવે છે ત્યારે અવાર નવાર કડુ ગામની આસપાસ જોવા મળતા અજગરને બચાવી સલામત સ્થળે છોડાવવા માંગ ઉઠી છે.