![]()
સુરત : ભારત સરકારના સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશના તમામ મોટા શહેરોને પાછળ છોડી સુરત દેશનું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે. સુરત મહાનગરપાલિકાને આ માટે એવોર્ડ પણ મળ્યો છે, પરંતુ સુરત કાગળ પર સ્વચ્છ દેખાઈ રહ્યું છે, પરંતુ શહેરના અનેક વિસ્તારોમાં કચરાના ઢગલા જોવા મળતાં પાલિકાની કામગીરી સામે શંકા ઊભી થઈ રહી છે. સુરત પાલિકાના ટ્રાન્સફર સ્ટેશનની આસપાસ રહેતા લોકો કે વટેમાર્ગુઓની સૌથી ખરાબ સ્થિતિ છે. સુરતના વેડ રોડ પર આવેલા ટ્રાન્સફર સ્ટેશનમાં દરરોજ અનેક કચરાપેટીઓ પડી રહી છે જે પાલિકાની કામગીરી સામે સવાલો ઉભા કરી રહ્યા છે.
સુરતે દેશના સૌથી સ્વચ્છ શહેરનું બિરુદ મેળવ્યું છે પરંતુ હવે મહાનગરપાલિકા તંત્ર અને લોકોની બેદરકારીના કારણે આ નંબર વન જોખમમાં છે. લોકો રસ્તાઓ પર કચરો ઠાલવતા અચકાતા નથી, બીજી તરફ પાલિકાની નબળી કામગીરીને કારણે આગામી વર્ષે સ્વચ્છતા લીગમાં સુરત અગ્રેસર રહેશે કે કેમ તેવા સવાલો ઉભા થયા છે.
નગરપાલિકાના કતારગામ ઝોનમાં વેડ રોડ પર આવેલ ટ્રાન્સફર સ્ટેશન સ્થાનિકો અને વાહનચાલકો માટે હાલાકીરૂપ બની રહ્યું છે. આ જગ્યાએ નબળી કામગીરીના કારણે અનેક વાહનોની લાઈનો લાગે છે, આટલું ઓછું હોય તો પણ આ વિસ્તારમાં નગરપાલિકાની કચરા પેટીમાંથી કચરાની અનેક થેલીઓ રોડ પર પડે છે. રોડ પર પડેલા આ બોક્સ ઉપાડવાની ન તો કચરા ટ્રક કે પાલિકા તંત્ર તસ્દી લે છે. જેના કારણે આ કચરાની થેલીઓ આ વિસ્તારમાં ગંદકી ફેલાવવાની સાથે વાહન ચાલકો માટે જોખમી બની રહી છે.
આ ટ્રાન્સફર સ્ટેશનની આસપાસ ખુલ્લામાં પડેલો કચરો, દુર્ગંધ, માખી-મચ્છરોનો ઉપદ્રવ હોવાની ફરિયાદો ઉઠી છે. આ ઉપરાંત રોડ પર પડેલી કચરાપેટીઓને કારણે લોકોના આરોગ્ય સામે પણ ખતરો ઉભો થયો છે અને અકસ્માતનો પણ ભય ઉભો થયો છે.
સુરત મહાનગરપાલિકા દર વર્ષે શહેરના કચરાના નિકાલ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. આધુનિક મશીનરી, વાહનો અને કોન્ટ્રાક્ટ સિસ્ટમ હોવા છતાં વેડરોડ જેવા વિસ્તારમાં જોવા મળતા આવા દ્રશ્યો પાલિકાની કામગીરી અને મોનીટરીંગ સિસ્ટમ સામે ગંભીર સવાલો ઉભા કરે છે. સ્વચ્છતા સ્પર્ધામાં મોખરે રહેલા શહેરમાં ટ્રાન્સફર સ્ટેશનની આસપાસ કચરો બેરોકટોક ફેલાઈ રહ્યો છે જેના કારણે પાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/01/08/somnath-swabhiman-parva-begins-2026-01-08-15-45-51.jpg?w=218&resize=218,150&ssl=1)

