ઘીસ્કોલી સર્કલ પાસે અકસ્માતમાં ઘાયલ મહિલાનું મોત ઢીશકોલી સર્કલ પાસે અકસ્માતમાં ઘાયલ મહિલાનું મોત

ઘીસ્કોલી સર્કલ પાસે અકસ્માતમાં ઘાયલ મહિલાનું મોત ઢીશકોલી સર્કલ પાસે અકસ્માતમાં ઘાયલ મહિલાનું મોત

ઘીસ્કોલી સર્કલ પાસે અકસ્માતમાં ઘાયલ મહિલાનું મોત ઢીશકોલી સર્કલ પાસે અકસ્માતમાં ઘાયલ મહિલાનું મોત

વડોદરાઘીસકોલી સર્કલ પાસે બે મોપેડ વચ્ચે અકસ્માતમાં ઘાયલ મહિલા બે દિવસ બાદ પણ બેભાન હતી. જેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

ઘીસ્કોલી સર્કલ પાસે જય સંતોષીનગર વુડાના મકાનમાં રહેતા સંજય ખડ 14મીએ રાત્રે 10 કલાકે પત્ની અને બાળકો સાથે મોપેડ પર નાસ્તો કરવા નીકળ્યા હતા. રાત્રે પોણા પોણા વાગ્યાના અરસામાં ત્યાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે ઢીશકોલી સર્કલથી જય સંતોષીનગર વુડાના ઘરના ગેટ સામેના રોડના કટ પાસે રોડ ક્રોસ કરતી વખતે દરબાર ચોકડી તરફથી આવી રહેલા મોપેડના ચાલકે તેમને ટક્કર મારતાં તેઓ અને તેમનો પરિવાર રોડ પર પડ્યો હતો. તેમની પત્ની અંજલી હજુ પણ માથામાં ગંભીર ઈજાઓ સાથે બેભાન છે. જ્યારે અકસ્માત સર્જનાર મોપેડ સવારને પણ ઈજા થઈ હતી. પોલીસે અકસ્માત સર્જનાર મોપેડ ચાલક હિતેન્દ્રસિંહ હિંમતસિંહ રાઉલજી (રહે ઝાડેશ્વર મંદિર પાસે, અક્ષરચોક) સામે ગુનો નોંધ્યો હતો. દરમિયાન અંજલીબેનનું મૃત્યુ થયું છે.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]