ગુજરાત ચૂંટણી: રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. રાજ્ય ચૂંટણી પંચના કમિશનર ડૉ. એસ. મુરલી કૃષ્ણાએ પત્રકાર પરિષદ યોજીને તારીખોની જાહેરાત કરી છે. જે મુજબ 16 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે.જ્યારે 18મી ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે.ધાનેરા નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો નથી.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો કાર્યક્રમ
- નોમિનેશન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 1 ફેબ્રુઆરી 2025
- નામાંકન પત્રોની ચકાસણીની તારીખ: 3 ફેબ્રુઆરી 2025
- ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખઃ 4 ફેબ્રુઆરી 2025
- મતદાન તારીખ: 16 ફેબ્રુઆરી 2025 (રવિવાર)
- મતદાનનો સમય: સવારે 7 થી સાંજે 6
- મતગણતરી તારીખ: 18 ફેબ્રુઆરી 2025 (મંગળવાર)
ખેડા જિલ્લા પંચાયત અને ધાનેરા નગરપાલિકાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી નથી
રાજ્ય ચૂંટણી પંચના કમિશનર ડો.એસ.મુરલી ક્રિષ્નાએ જણાવ્યું છે કે રાજ્યમાં જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગર નિગમ, 3 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે. આ ઉપરાંત અમદાવાદ, ભાવનગર, સુરત મહાનગરપાલિકાની ખાલી પડેલી 3 બેઠકો માટે ચૂંટણી યોજાશે. ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી હજુ જાહેર થઈ નથી. આ ઉપરાંત ધાનેરા નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ પણ જાહેર કરાયો નથી. બોરસદ, સોજિત્રા જેમાં ઓબીસીની ભલામણ મુજબ હજુ સુધી અનામતનો નિર્ણય લેવાયો નથી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લગભગ 19 લાખ મતદારો મતદાન કરશે.
અટવાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ અંગે ડૉ. મુરલી કૃષ્ણાએ કહ્યું, ‘ઝવેરી કમિશને રાજ્ય સરકારને રિપોર્ટ સોંપ્યો હતો. સરકારે દોઢ મહિના પહેલા રાજ્ય ચૂંટણી પંચને રિપોર્ટ આપ્યો હતો, જેની પ્રક્રિયા ચાલુ છે.’
નોંધનીય છે કે રાજ્યમાં આગામી સ્થાનિક ચૂંટણીઓમાં 27 ટકા ઓબીસી, 14 ટકા એસટી અને 7 ટકા એસસી બેઠકો અનામત રાખવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27 ટકા OBC અનામતના અમલ સાથે ગુજરાતમાં પ્રથમ વખત ચૂંટણી જાહેર કરવામાં આવી છે. અલબત્ત, ગ્રામ પંચાયતોમાં વહીવટદારનું શાસન કાયમ રહેશે.
રાજ્યમાં છેલ્લા બે વર્ષથી ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયતો, 17 તાલુકા પંચાયતો, 75 નગર પાલિકા અને 539 નવી ગ્રામ પંચાયતો સહિત કુલ 4765 ચૂંટણીઓ યોજાઈ નથી.