Uttarakhand ના Almora માં બસ ખીણમાં પડતાં ઓછામાં ઓછા 22નાં મોત.
Almora

Uttarakhand ના Almora માં બસ ખીણમાં પડતાં ઓછામાં ઓછા 22નાં મોત.

Uttarakhand ના Almora જિલ્લાના રામનગર પાસે સોમવારે સવારે બસ ખીણમાં પડી જતાં ઓછામાં ઓછા 22 મુસાફરોના મોત થયા હતા. સૂત્રોએ જણાવ્યું કે બસ ઓવરલોડ હતી અને માર્યા ગયેલા લોકોમાં ઘણા બાળકો પણ હતા.

Almora

Almora જિલ્લા મેજિસ્ટ્રેટ આલોક કુમાર પાંડેએ જણાવ્યું હતું કે બસ ગઢવાલથી કુમાઉ જઈ રહી હતી ત્યારે અલ્મોડાના મર્ચુલા ખાતે અકસ્માત થયો હતો. પાંડેએ જણાવ્યું કે બસ જ્યારે 200 મીટર ઊંડી ખીણમાં પડી ત્યારે તેમાં લગભગ 40 મુસાફરો હતા.

CM Dhami એ પ્રતિક્રિયા આપી.

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ અકસ્માતની નોંધ લીધી અને વહીવટીતંત્રને રાહત કામગીરી ઝડપથી હાથ ધરવા નિર્દેશ આપ્યો. તેમણે ગંભીર રીતે ઘાયલ મુસાફરોને એરલિફ્ટ કરવાની પણ સૂચના આપી હતી

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]