Home My City Surat : મિડાસ સ્ક્વેર ના બીજા માળે આગ લાગી !!

Surat : મિડાસ સ્ક્વેર ના બીજા માળે આગ લાગી !!

0
Surat
Surat

Surat: મિડાસ સ્ક્વેર ના બે દુકાનો નો માલ સામાન બળીને રાખ !!

Surat : પર્વત પાટિયા થી મહારાણા પ્રતાપ ચોક તરફ જવાના રસ્તા ઉપર આવેલી એક બહુ મંઝિલ કોમર્શિયલ બિલ્ડીંગ ના બીજા માળ પર આજે સવારે સાતેક વાગ્યાના અરસામાં આગ લાગી હોવાનું બનાવો ફાયર બ્રિગેડ ના ચોપડે નોંધાયો હતો.

ફાયર બ્રિગેડ સૂત્રોના જણાવ્યા અનુસાર, પર્વત પાટિયા થી મહારાણા પ્રતાપ ચોક તરફ જવાના રસ્તા ઉપર ની દાસ સ્ક્વેર આવેલું છે. આ સ્ક્વેરના બીજા માણ પર આજે સવારે 7:00 વાગ્યાના અરસામાં આગ લાગી હતી. આગ ના બનાવની જાણ ફાયર બ્રિગેડ ની કરવામાં આવતા પુણા, ડુંભાલ ,ફાયર સ્ટેશનના ફાયર ઓફિસર અને ફાયર જવાનોની ઘટના સ્થળે મોકલી આપવામાં આવ્યા હતા.

જ્યાં તેઓએ પાણીનો છંટકાવ કરીને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. આગને કારણે બે દુકાનોમાં રાખવામાં આવેલી સામગ્રી, ફર્નિચર વાયરીંગ બળીને રાખ થઈ ગયું હતું.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version