સુરત કોર્પોરેશન : પ્રદૂષણને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે અગાઉ આપેલા આદેશ મુજબ કોઈપણ જાહેર સ્થળે કચરો બાળવો ગુનો બની જશે. સુપ્રીમ કોર્ટના આ આદેશનું શરૂઆતમાં આંશિક પાલન
પરંતુ કરવામાં આવી હતી પરંતુ હવે સુરત મનપા આ આદેશનું પાલન કરતી ન હોવાનું બહાર આવ્યું છે. સફાઈ કામદારો રોજેરોજ થોડાક ઢગલા બાળે છે પરંતુ હાલમાં જહાંગીરાબાદ ઉગત વિસ્તારમાં બાંધકામ અને ડિમોલિશન કચરાના પ્લોટમાં બગીચાના કચરાને એકત્ર કર્યા બાદ હવે મોડી રાત્રે અથવા વહેલી સવારે સળગાવીને નિકાલ કરવામાં આવે છે. સુરત મનપાના પ્લોટમાં જ કચરો સળગાવવામાં આવતો હોવાથી પાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.