
અંબાજી મંદિર: ગુજરાતી વિક્રમ સંવત 2081નું નવું વર્ષ આજથી શરૂ થયું છે. નવા વર્ષ નિમિત્તે યાત્રાધામ અંબાજી ખાતે આવેલા મા અંબાના મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. આજે સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો માતાના દર્શન માટે મંદિરોમાં પહોંચી ગયા છે. ત્યારે અંબાજીમાં યાત્રિકોની સુવિધા માટે આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
મા અંબાના દર્શન કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા

