અમદાવાદ થી ગાંધીનગર મેટ્રો ફેઝ 2 : અમદાવાદ અને ગાંધીનગરના લોકો માટે સારા સમાચાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત અને ભારત સરકારના પ્રયાસોથી ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા 16 સપ્ટેમ્બરે મેટ્રો રેલ નેટવર્કના બીજા તબક્કાનું લોકાર્પણ કરશે. આ રૂટ અમદાવાદ અને ગાંધીનગરના મહત્વના સ્થળો જેમ કે, GNLU, PDEU, ગિફ્ટ સિટી, રાયસણ, રાંદેસણ, ધોળાકુવા સર્કલ, ઈન્ફોસિટી અને સેક્ટર 1 વિસ્તારને આવરી લે છે.
મોટેરાથી ગાંધીનગર સુધીની કનેક્ટિવિટી
મેટ્રોનો બીજો તબક્કો મોટેરાથી ગાંધીનગર સુધી કનેક્ટિવિટી પ્રદાન કરશે. બીજા તબક્કાનો કોરિડોર ગિફ્ટ સિટી તરફ દોરી જશે. આ તબક્કો 21 કિમીનો છે, જેમાં મેટ્રો શરૂઆતમાં ગાંધીનગરના આઠ સ્ટેશનો પર દોડશે. આગામી સમયમાં મેટ્રો સચિવાલય, અક્ષરધામ, જૂના સચિવાલય, સેક્ટર 16, સેક્ટર 24 અને મહાત્મા મંદિર સુધી જશે. મેટ્રોનો બીજો તબક્કો અમદાવાદ અને ગાંધીનગરના કર્મચારીઓ અને પ્રવાસીઓને રાહત આપશે.
આ પણ વાંચો: રેલ્વે મુસાફરો યાદ રાખો: અમદાવાદ સ્ટેશન પર, પ્લેટફોર્મ એક સાથે બંધ રહેશે, ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવશે
કેટલો ખર્ચ થશે?
અમદાવાદથી ગાંધીનગરને જોડતી મેટ્રોના ફેઝ-2 પ્રોજેક્ટ માટે સરકાર દ્વારા 5,384 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. જેમાં AFD અને KfW જેવી આંતરરાષ્ટ્રીય એજન્સીઓ પાસેથી ફંડિંગ લેવામાં આવ્યું છે.