નાના વરાછા મેટ્રો ક્રેન તૂટી પડવાના મામલે આખરે કોન્ટ્રાક્ટર રણજીત બિલ્ડકોનને નોટિસ

નાના વરાછા મેટ્રો ક્રેન તૂટી પડવાના મામલે આખરે કોન્ટ્રાક્ટર રણજીત બિલ્ડકોનને નોટિસ

નાના વરાછા મેટ્રો ક્રેન તૂટી પડવાના મામલે આખરે કોન્ટ્રાક્ટર રણજીત બિલ્ડકોનને નોટિસ

મેટ્રોની ચાલી રહેલી કામગીરી દરમિયાન ગત ગુરુવારે સાંજે સુરતના નાના વરાછા ખાતે એક ઈમારત પર ક્રેન અને ગર્ડર લોન્ચર પડ્યા હતા. આ ઘટનામાં મેટ્રોએ એક તપાસ સમિતિની રચના કરી છે અને તપાસ સમિતિ વિવિધ માહિતી એકઠી કરીને સ્થળ પર તપાસ કરી રહી છે. ગુરુવારની ઘટના બાદ આખરે મેટ્રો રેલ કોર્પોરેશને મંગળવારે કોન્ટ્રાક્ટર રણજીત બિલ્ડકોનને નોટિસ પાઠવી ત્રણ દિવસમાં ખુલાસો માંગ્યો છે.

સુરતમાં મેટ્રોનું કામ ચાલી રહ્યું છે પરંતુ કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે અકસ્માતો વધી રહ્યા છે. ગત ગુરુવારે નાના વરાછા ચીકુવાડી વિસ્તારમાં તપોવન સ્કૂલની સામે મેટ્રો પ્રોજેક્ટના એલિવેટેડ બ્રિજ પર ગર્ડર લોંચર લગાવવાની કામગીરી ચાલી રહી હતી. દરમિયાન, 135 ટનના ગર્ડર બોક્સ સહિતની બે ક્રેઈન એક ઈમારત પર પડી હતી અને ઈમારતને ભારે નુકસાન થયું હતું. આ ઘટના બાદ સુરતમાં મેટ્રોની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. દરમિયાન ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને પાંચ સભ્યોની કમિટી બનાવી તપાસ શરૂ કરી છે. દેવા માં છે. કમિટી સ્થળ પર જઈને ક્રેન અને અન્ય મશીનરીની ક્ષમતા અંગે માહિતી એકત્ર કરી રહી છે. ગુરુવારે બનેલી આ ઘટના બાદ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને કોન્ટ્રાક્ટર રણજીત બિલ્ડકોનને નોટિસ પાઠવી ત્રણ દિવસમાં ખુલાસો માંગ્યો છે.

કહેવાય છે કે શરૂઆતના તબક્કામાં કોન્ટ્રાક્ટરની બેદરકારી હતી. આ ઘટના બાદ હજુ પણ તૂટેલી ક્રેન અને બોક્સનો કાટમાળ ખસેડવાની કામગીરી કરવામાં આવી નથી. મેટ્રો અધિકારીઓનું કહેવું છે કે ક્રેનના તમામ સ્પેરપાર્ટ્સ હટાવવામાં આવશે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પ્રશાંત કુલકર્ણીએ જણાવ્યું હતું કે તપાસ સમિતિ દ્વારા તપાસ ચાલુ છે અને રણજીત બિલ્ડકોનને ત્રણ દિવસમાં જવાબ આપવા માટે નોટિસ આપવામાં આવી છે. સમગ્ર ઘટનામાં જો કંપની દોષિત જણાશે તો કરાર મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]