ત્રણ સરકારી કચેરીઓ સહિત સિવિલ કેમ્પસમાં પાણીએ રસ્તા પર તંત્રની પોલ ખોલી નાખી હતી

ત્રણ સરકારી કચેરીઓ સહિત સિવિલ કેમ્પસમાં પાણીએ રસ્તા પર તંત્રની પોલ ખોલી નાખી હતી

ત્રણ સરકારી કચેરીઓ સહિત સિવિલ કેમ્પસમાં પાણીએ રસ્તા પર તંત્રની પોલ ખોલી નાખી હતી

અપડેટ કરેલ: 29મી જૂન, 2024

ત્રણ સરકારી કચેરીઓ સહિત સિવિલ કેમ્પસમાં પાણીએ રસ્તા પર તંત્રની પોલ ખોલી નાખી હતી


રસ્તા પર પાણી ભરાવાને કારણે કાદવ-કીચડનું સામ્રાજ્ય, રાહદારીઓ મુશ્કેલીમાં

સુરત,:

નવી સિવિલ કેમ્પસ ખાતે જિલ્લા ક્ષય રોગ કચેરી,
જીલ્લા રક્તપિત્ત કચેરી, ચોર્યાસી તાલુકા બ્લોક હેલ્થ ઓફિસ સહિત કેટલીક જગ્યાએ વરસાદી પાણી ભરાઈ જવાથી મચ્છરોની ઉત્પત્તિ સહિતની સમસ્યા સર્જાઈ હોવાનું જાણવા મળે છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી જિલ્લા ક્ષય રોગ કચેરી, જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા સંચાલિત જીલ્લા રકપીત કચેરી અને ચોર્યાસી બ્લોક હેલ્થ કચેરી એક જ જગ્યાએ આવેલી છે. જો કે આ રોડ પર વરસાદી પાણીનો નિકાલ ન થવાના કારણે સતત પાણી ભરાવાના કારણે મચ્છરોની ઉત્પત્તિ થઈ રહી છે. એટલું જ નહીં પરંતુ આ કચેરીઓમાં કામ કરતા કર્મચારીઓ સહિતના લોકો રસ્તા પર અવરજવર કરે છે. સૂત્રોએ જણાવ્યું કે, આ ત્રણેય કચેરીઓ સહિત કેમ્પસમાં કેટલીક જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે. જેના કારણે કેમ્પસમાં પાણી ભરાવા અને કાદવ-કીચડના કારણે મચ્છરોની ઉત્પત્તિ થઈ રહી છે. જેના કારણે રોગચાળો ફેલાવાની શક્યતા સેવાઈ રહી છે. જેથી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં જ આરોગ્ય વિભાગની કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે આરોગ્ય જોખમાય તેવી શક્યતા છે. સિવિલ કેમ્પસમાં આવેલી ત્રણ સરકારી કચેરીઓમાં રોડ પર પાણી ભરાઈ ન જાય તે માટે યોગ્ય વ્યવસ્થા કરવા આરોગ્ય અધિકારીએ વહીવટી તંત્રને જાણ કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]