મોટેરા થી ગાંધીનગર મેટ્રો ટ્રેન: સપ્ટેમ્બરના બીજા સપ્તાહથી ગાંધીનગરના મોટેરા અને મહાત્મા મંદિર વચ્ચે મેટ્રો ટ્રેન દોડવાનું શરૂ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16-17 સપ્ટેમ્બરે ગુજરાત આવી રહ્યા છે. ત્યારબાદ તેમના હસ્તે આ રૂટનું ઉદ્ઘાટન કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16-17 સપ્ટેમ્બરના ગુજરાત પ્રવાસે રૂટ શરૂ કરી શકે છે.
મેટ્રો રેલ સુરક્ષા કમિશનર (CMRS) દ્વારા ગયા મહિનાના પ્રથમ સપ્તાહમાં જ આ માર્ગનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. 15 ઓગસ્ટની આસપાસ આ રૂટ શરૂ થાય તેવી શક્યતા હતી.પરંતુ હવે આ રૂટનું ઉદ્ઘાટન વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે. અલબત્ત, જીએમઆરસી દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પ્રાપ્ત માહિતી અનુસાર, મહાત્મા મંદિર અને ગિફ્ટ સિટી વચ્ચેની મેટ્રો ટ્રેન હજુ ચાલુ છે અને આ વર્ષના અંત સુધીમાં રૂટ શરૂ થવાની શક્યતા નથી.
મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગરના સેક્ટર-1 (ઇન્દ્રોડા સર્કલ)ના ફેઝ-2ની ટ્રાયલ ફેબ્રુઆરીમાં જ પૂર્ણ થઇ હતી. જેના માટે નર્મદા કેનાલ ઉપર 300 મીટરનો કેબલ બ્રિજ પણ બનાવવામાં આવ્યો છે. ફેઝ-2 નો કુલ રૂટ 28.24 કિ.મી. તેમાં 22.84 કિમી મોટેરાથી મહાત્મા મંદિર કોરિડોર, 5.42 કિમી મંદિર-જીએનએલયુ-ગિફ્ટ સિટી કોરિડોરનો સમાવેશ થાય છે. મોટેરા અને મહાત્મા મંદિર વચ્ચે કુલ 20 સ્ટેશન અને GNLU-ગિફ્ટ સિટીમાં બે સ્ટેશન હશે.
મોટેરાથી મહાત્મા મંદિર સુધી કયું સ્ટેશન આવશે?
કોટેશ્વર રોડ, વિશ્વકર્મા કોલેજ, તપોવન સર્કલ, નર્મદા કેનાલ, કોબા સર્કલ, જૂના કોબા, કોબા ગામ, GNLU, PDPU, ભેટ, રાયસણ, રાંદેસણ, ધોળા કુવા સર્કલ, ઈન્ફોસિટી, સેક્ટર-1, સેક્ટર-10A, સચિવાલય, અક્ષરધામ, જુના સચિવાલય, સેક્ટર-16, સેક્ટર-24, મહાત્મા મંદિર.