– સરદાર પ્રતિમાથી રાગણી માતાના મંદિર સુધી
– MGVCL રોડ પર પડેલા વીજ થાંભલા હટાવવામાં બેદરકાર હોવાનો આક્ષેપ
સેવાલિયા: ગલતેશ્વરના સેવાલિયામાં મુખ્ય બજારમાં સરદાર સ્ટેચ્યુથી રાગણી માતા મંદિર સુધીના રસ્તાનું કામ એક વર્ષથી અટવાયું છે. MGVCL દ્વારા રોડ પરના વીજ થાંભલાઓ હટાવવામાં ન આવતાં રોડનું કામ અટકી પડ્યું હોવાની ફરિયાદો ઉઠી છે. ત્યારે વીજ થાંભલા હટાવવામાં એમજીવીસીએલની મીલીભગત થઈ રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.