Friday, July 5, 2024
28 C
Surat
28 C
Surat
Friday, July 5, 2024

સુરત: સંસદીય મતદાર વિભાગની ચૂંટણી માટે નોટિસ .

Must read

તા.૧૯ એપ્રિલ સુધીમાં સવારના ૧૧-૦૦ થી બપોરના ૩-00 કલાક દરમિયાન ઉમેદવારો નામાંકનપત્રો પહોંચાડી શકશે.

-સુરત સંસદીય મતદાર વિભાગની યોજાનાર ચૂંટણી સંદર્ભે રોજ સુરત સંસદીય મતદાર વિભાગના ચૂંટણી અધિકારીશ્રી ડો.સૌરભ પારધીએ જાહેર નોટીસ પ્રસિદ્ધ કરી છે, જે મુજબ ૨૪-સુરત સંસદીય મતદાર વિભાગના સભ્યની ચૂંટણી માટેના ઉમેદવાર કે તેમના નામની દરખાસ્ત મૂકનાર પૈકી કોઈ એક વ્યક્તિ ચૂંટણી અધિકારી, રજ- સુરત સંસદીય મતદાર વિભાગ અને કલેક્ટરશ્રી સુરતને કલેક્ટરશ્રીની ચેમ્બર, કલેક્ટર કચેરી પમો માળ, જિલ્લા સેવા સદન-૨, બી-બ્લોક, અઠવાલાઈન્સ, સુરત અથવા મદદનીશ ચૂંટણી અધિકારી, રજ- સુરત સંસદીય મતદાર વિભાગ અને પ્રાંત અધિકારીશ્રી, સિટી સબ ડિવીઝન જિલ્લા સુરતને પ્રાંત અધિકારીશ્રીની ચેમ્બર, એ-3. ત્રીજો માળ જિલ્લા સેવા સદન-૨, અઠવાલાઈન્સ, સુરત ખાતે મોડામાં મોડું તા.૧૯/૦૪/૨૦૨૪(શુક્રવાર) સુધીમાં કોઈપણ દિવસે (જાહેર રજાના દિવસ સિવાય) સવારના ૧૧-૦૦ થી બપોરના ૩-00 કલાક દરમિયાન નામાંકનપત્રો પહોંચાડી શકશે. નામાંકનપત્રોના ફોર્મ ઉપર દર્શાવેલ સ્થળે અને સમયે મળી શકશે.. નામાંકન પત્રોની ચકાસણી કલેક્ટરશ્રીની કચેરી કોન્ફરન્સ રૂમ ૫મો માળ, જિલ્લા સેવા સદન-૨, બી- બ્લોક, અઠવાલાઈન્સ સુરત ખાતે તા.૨૦/૦૪/૨૦૨૪ (શનિવાર) ના રોજ સવારના ૧૧-૦૦ કલાકે હાથ ધરવામાં આવશે

ઉમેદવાર કે તેના નામની દરખાસ્ત મૂકનાર પૈકીની કોઈ એક વ્યક્તિ કે તેના ચૂંટાણી એજન્ટ પૈકી જેઓને આ નોટિસ પહોંચતી કરવા ઉમેદવારે લિખિતરૂપે અધિકૃત કર્યા હોય તેઓ ઉમેદવારી પાછી ખેંચવા અંગેની નોટીસ ઉપરોક્ત અધિકારીઓમાંથી કોઈ પણ એક અધિકારીને તેમની કચેરીમાં તા.રર/૦૪/૨૦૨૪(સોમવાર) ના રોજ બપોરના 3-00 કલાક પહેલા પહોંચાડવાની રહેશે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article