![]()
સુરત કોર્પોરેશન : મોબાઈલ અને સોશિયલ મીડિયાની ક્રાંતિ બેધારી તલવાર બની ગઈ છે. સુરત મહાનગરપાલિકા જનજાગૃતિ માટે અનેક કિસ્સામાં અફવાઓ ફેલાવવા માટે કુખ્યાત એવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા જઈ રહી છે. આગામી દિવસોમાં સ્વચ્છતાને માત્ર સ્પર્ધા નહીં પરંતુ સુરતીઓની આદત બનાવવા માટે સુરત મનપા ડિજિટલ મીડિયાનો સહારો લઈ રહી છે. સુરત મહાનગરપાલિકા સર્જકો દ્વારા સુરતવાસીઓને સ્વચ્છતા સંદેશો આપવાનું આયોજન કરી રહી છે.
સ્વચ્છતા સર્વેક્ષણ અને સ્વચ્છતા લીગમાં સુરત શહેર દેશભરમાં અગ્રેસર છે અને આ સ્પર્ધા માટે સુરત મહાનગરપાલિકા અનેક કાર્યો કરી રહી છે પરંતુ સુરત મ્યુનિ. કમિશનર હવે સ્વચ્છતાને સુરતીઓના જીવનનો એક ભાગ બનાવવાનું આયોજન કરી રહ્યા છે. મુન. કમિશ્નર એમ.નાગરાજને જણાવ્યું છે કે સુરત નગરપાલિકા માટે સ્વચ્છતાનો હેતુ માત્ર સરકારી ઝુંબેશ જ નથી પરંતુ સુરતના લોકોને તેમના શહેર વિશે માહિતગાર કરવા અને તેમની જવાબદારી સમજી તેમની જીવનશૈલીમાં સ્વચ્છતા અપનાવવા પાલિકા સોશિયલ મીડિયાને માધ્યમ બનાવવા જઈ રહી છે.
આ ઉપરાંત મુન. કમિશનરે કહ્યું કે, હવે સોશિયલ મીડિયા લોકજાગૃતિ માટે મહત્ત્વનું પરિબળ સાબિત થઈ રહ્યું છે. જેના કારણે સર્જકો ટુંકી વિડીયો (રીલ), બ્લોગ્સ અને જાહેર સંદેશાઓ દ્વારા વેસ્ટ મેનેજમેન્ટ, જાહેર સ્થળોની સફાઈ અને નાગરિક જવાબદારી અંગે જાગૃતિ ફેલાવશે. આ માટે સુરત ઉપરાંત રાજ્યના સર્જકોની સાથે સુરતના સર્જકોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમના સંદેશથી લોકોમાં જાગૃતિ આવે તે માટે તેમના દ્વારા એક વર્કશોપ યોજવામાં આવશે અને સુરતીઓ સ્વચ્છતા પ્રત્યે વધુ સભાન બને તે માટે આ પ્રયાસ કરવામાં આવશે.

