સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરની પાણીની જરૂરિયાતને પહોંચી વળવા તબક્કાવાર સુરત શહેરમાં 24 કલાક પાણી પુરવઠો પુરો પાડવાની કવાયત શરૂ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં સમગ્ર શહેરમાં વોટર મીટર દ્વારા પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત મહાનગરપાલિકાએ 24 કલાક પાણી યોજના અંતર્ગત શહેરમાં 5 હજાર અને પાલિકાના વિવિધ ઝોનમાં 13 હજાર મીટર લગાવ્યા છે, પરંતુ બિલની કામગીરી સોંપવામાં આવેલી એજન્સીની નબળી કામગીરીના કારણે 73 કરોડની વસૂલાત હજુ બાકી છે. આ વિવાદને ટાળવા માટે પાલિકાએ સેન્ટ્રલ વોટર મીટર સેલની રચના કરી છે, પરંતુ સેલ દ્વારા બાકીદારો સહિતની અનેક સમસ્યાઓના નિરાકરણ માટે ખાસ વ્યવસ્થા કરવાની છે.
સુરત નગરપાલિકાએ વર્ષ 2014-15થી મીટરથી પાણી આપવાની યોજના અમલમાં મૂકી છે પરંતુ આ યોજનાને હજુ સુધી કોઈ સફળતા મળી નથી. પાલિકાએ જે એજન્સીને બીલ માટે કામ સોંપ્યું હતું તે ખૂબ જ નબળી છે, જેના કારણે લોકોને એકસાથે કેટલાય મહિનાના બિલ મળી રહ્યા છે. આ સિવાય પણ ઘણાને બિલ ન મળતા હોવાની ફરિયાદો ઉઠી છે. આવા સંજોગોમાં સુરત નગરપાલિકાને આર્થિક નુકસાન થઈ રહ્યું છે અને 24 કલાક પાણી યોજનાનો વિરોધ પણ થઈ રહ્યો છે. આ વિવાદને ટાળવા અને પાલિકાની આવક વધારવા માટે મ્યુનિસિપલ કમિશનરે અલગ સેન્ટ્રલ વોટર મીટર સેલની સ્થાપના કરી છે.
સેન્ટ્રલ વોટર મીટર સેલ માટે 24 કલાક પાણી યોજના માટે લેણાં વસૂલવાનો મોટો પડકાર છે. સુરત મહાનગરપાલિકાએ 24 કલાક પાણી યોજના હેઠળ 59991 મીટર લગાવ્યા છે પરંતુ 30 કરોડની વસૂલાત બાકી છે. આ ઉપરાંત નગરપાલિકાના વિવિધ ઝોનમાં 13224 મીટર લગાવવામાં આવ્યા છે, જેની સામે 62 કરોડ રૂપિયા વસૂલવાના હતા, પરંતુ માત્ર 19 કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા છે, અને 43 કરોડ રૂપિયાની વસૂલાત બાકી છે. આમ ઝોન અને 24 કલાક યોજના વચ્ચે 73 કરોડથી વધુની વસૂલાત ખાસ કરીને સેન્ટ્રલ વોટર મીટર સેલ દ્વારા કરવાની રહેશે.