વિકાસ પદયાત્રા સુરત : સુરત સહિત રાજ્યભરમાં 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે આજે કેન્દ્રીય જળ મંત્રી દ્વારા વિકાસ પદયાત્રાને ચોકબજાર કિલ્લા પરથી લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. ચોક કિલ્લાથી અડાજણ બસ ડેપો સુધીની પદયાત્રામાં આગેવાનો સાથે અનેક સુરતીઓ પણ જોડાયા હતા. રાજ્યભરમાં ઉજવાઈ રહેલા વિકાસ સપ્તાહના ભાગરૂપે, કેન્દ્રીય જળ ઉર્જા મંત્રી સી.આર. પાટીલે સુરતના ઐતિહાસિક ચોકબજાર કિલ્લાથી અડાજણ બસ ડેપો સુધીની ‘વિકાસ પદયાત્રા’ને લીલી ઝંડી આપી હતી.