સુરતમાં જલારામ બાપાની 225મી જન્મજયંતિની તૈયારીઓ પૂરજોશમાં: મંદિરોમાં મહાપ્રસાદી, છપ્પનભોગનું આયોજન

સુરતમાં જલારામ બાપાની 225મી જન્મજયંતિની તૈયારીઓ પૂરજોશમાં: મંદિરોમાં મહાપ્રસાદી, છપ્પનભોગનું આયોજન

સુરતમાં જલારામ બાપાની 225મી જન્મજયંતિની તૈયારીઓ પૂરજોશમાં: મંદિરોમાં મહાપ્રસાદી, છપ્પનભોગનું આયોજનછબી: ફાઇલફોટો

જલારામ બાપા જયંતિ 2024 : સૌરાષ્ટ્રના સંત જલારામ બાપાની 225મી જન્મજયંતિની ઉજવણી માટે સુરત શહેરના તળાવ ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સુરત શહેર અને જિલ્લાના જલારામ મંદિરો સહિત અનેક મંદિરોમાં બાપાના જન્મદિનની ઉજવણી માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શુક્રવારે બાપાની જન્મજયંતિ પૂર્વે જલારામ મંદિરોને શણગારવામાં આવી રહ્યા છે અને વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.

બાપ્પાના ભક્તો અને મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા શુક્રવારે પૂજ્ય જલારામ બાપાની 225મી જન્મજયંતિ ભવ્ય રીતે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરને રોશન કરવા શહેર અને જિલ્લાના વિવિધ મંદિરોને રંગબેરંગી રોશની, તોરણ, ધજા, તોરણ બાંધીને શણગારવામાં આવી રહ્યા છે.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]