સુરત ગણેશ મહોત્સવ: હાલ રાજ્યભરમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતના સૈયદપુરા બરીયાળી બજારમાં સ્થાપિત શ્રીજીની મૂર્તિ પર ચાર-પાંચ અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. આ પથ્થરમારામાં ગણેશજીની મૂર્તિ તુટી જતાં પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી.