BAPS દીક્ષા મહોત્સવ 2026 હાઇલાઇટ્સ: મહંત સ્વામી મહારાજની પાવન નિશ્રામાં આજે BAPS સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ HP એ ભવ્ય દીક્ષા મહોત્સવ સંપન્ન થયો હતો. જેમાં 29 જેટલા સુશિક્ષિત યુવાનોએ સંસાર છોડીને સેવા અને અધ્યાત્મના માર્ગે પ્રયાણ કર્યું હતું.
આ 29 પહેલુઓ ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવે છે. જેમાં 1 MBA, 3 માસ્ટર્સ ડિગ્રી ધારકો, 5 એન્જિનિયર, 9 ગ્રેજ્યુએટ, 4 ડિપ્લોમા એન્જિનિયર અને 1 વકીલનો સમાવેશ થાય છે. તેમની કારકિર્દીમાં ટોચ પર હોવા છતાં અને ભૌતિક સુખ-સુવિધાઓ હોવા છતાં, આ યુવાનોએ તેમનું સમગ્ર જીવન માનવ સેવા, સામાજિક ઉત્થાન અને આધ્યાત્મિક જીવન માટે સમર્પિત કરવાનો દુર્લભ સંકલ્પ કર્યો છે.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/03/02/dixa-mahotsav-sarangpur-2026-03-02-15-01-01.jpg)
વહેલી સવારે 6 વાગ્યે વૈદિક મહાપૂજા સાથે ઉત્સવની શરૂઆત થઈ હતી. ત્યારબાદ પી.પી.મહંત સ્વામી મહારાજે તમામ મુમુક્ષુઓને યજ્ઞોપવીત પહેરાવ્યા અને વરિષ્ઠ સદગુરુ સંતોએ નવા દીક્ષા લેનાર પાર્ષદોને કંઠી, માળા, પાઘડી અને ઉપવસ્ત્ર પહેરાવ્યા. અંતે ગુરૂહરિએ ગુરુમંત્ર આપીને સૌને આશીર્વાદ આપ્યા હતા.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/03/02/baps-dixa-mahotsav-sarangpur-2026-03-02-15-02-49.jpg)
દીક્ષા મહોત્સવમાં દીક્ષાર્થીઓના માતા-પિતાના સમર્પણની પણ વિશેષ પ્રશંસા કરવામાં આવી હતી. સંસ્થાના વરિષ્ઠ સંતો દ્વારા પિતા અને મહિલા અગ્રણીઓ દ્વારા માતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
દીક્ષા લીધા બાદ આ યુવાનો હવે સારંગપુર સ્થિત ‘BAPS સંત શિક્ષણ કેન્દ્ર’માં સનાતન ધર્મ શાસ્ત્રો, સંસ્કૃત અને મેનેજમેન્ટ જેવા વિષયોનો ગહન અભ્યાસ કરશે. આ સંતો ચારિત્ર્યવાન, મૂલ્યલક્ષી અને આધ્યાત્મિક રીતે જાગૃત સમાજના નિર્માણમાં તેમનું મહત્ત્વપૂર્ણ યોગદાન આપશે.
ભારતીય સંસ્કૃતિની ત્યાગ પરંપરાને જીવંત રાખતો આ ઉત્સવ હજારો ભક્તો માટે પ્રેરણારૂપ બની રહ્યો હતો.

/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/03/02/dixa-mahotsav-sarangpur-2026-03-02-15-01-01.jpg?w=1155&resize=1155,770&ssl=1)