શંકરસિંહ વાઘેલા-અમિત શાહની મુલાકાતઃ ગુજરાતના બે મોટા રાજકીય નેતાઓ વચ્ચે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજાઈ હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલ વચ્ચે બેઠક યોજાઈ રહી છે, ગુજરાતના રાજકારણમાં કંઈક નવું થવાના સંકેત દેખાઈ રહ્યા છે. ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલની ચર્ચાએ રાજકીય વર્તુળમાં જોર પકડ્યું છે. જો કે શંકરસિંહ વાઘેલાએ આ ઔપચારિક બેઠક હોવાનું જણાવ્યું હતું.
છેલ્લા કેટલાક સમયથી રાજકારણ અને સમાચારોથી દૂર રહેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. આજે ગાંધીનગરના સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને શંકરસિંહ વાઘેલા વચ્ચે બેઠક યોજાઈ હતી. આ મુલાકાત બાદ ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલ થવાની રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ ચાલી રહી છે. આ મુલાકાતને મોટા રાજકીય પરિવર્તનના સંકેત તરીકે જોવામાં આવી રહી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં બ્રેસ્ટ-સર્વાઈકલ કેન્સરથી દરરોજ 16 મહિલાઓના મોત, આરોગ્ય વિભાગના ચોંકાવનારા આંકડા
મુલાકાત અંગે શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે આ માત્ર સૌજન્ય મુલાકાત હતી, અમે સાથે ચા-પાણી પીધું અને ઘણી વાતો કરી. તેમણે કહ્યું કે હું પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાની રાજકીય કારકિર્દી અંગે ચર્ચા કરવા ગયો હતો. જો કે આ બેઠક બાદ શંકરસિંહ વાઘેલાનો પુત્ર ભાજપમાં જોડાઈ શકે છે તેવી ચર્ચાઓ શરૂ થઈ છે, પરંતુ આ અંગે કોઈ ચોક્કસ માહિતી મળી નથી.