– કપિલાબેન પરમાર ઘરે ભાંગી પડ્યાઃ ડિંડોલીમાં મનોજકુમાર મિશ્રાનું છાતીમાં દુઃખાવો થતાં બેભાન અવસ્થામાં મોત
સુરત,:
સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી છાતીમાં દુખાવાથી અચાનક બેહોશ થવાના અને મૃત્યુના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે ડીંડોલીમાં 40 વર્ષીય પુરૂષ અને વેસુમાં 45 વર્ષીય મહિલા બેભાન થઇ જતાં મૃત્યુ પામ્યા હતા.
સ્મીમેર અને સિવિલમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ડિંડોલીમાં માનસી રેસીડેન્સીમાં રહેતા 40 વર્ષીય મનોજકુમાર મિશ્રાને આજે સવારે ઘરે છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. બાદમાં તે બેભાન થઈ જતાં તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. તે મૂળ ઉત્તર પ્રદેશનો વતની હતો. તે રિક્ષા ચલાવતો હતો. અન્ય એક બનાવમાં વેસમાં સુમન મલ્હારમાં રહેતા 45 વર્ષીય કપિલાબેન કનુભાઈ પરમાર આજે સવારે ઘરે અચાનક ચક્કર આવતાં ભાંગી પડ્યા હતા. જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. જ્યારે તે મૂળ ભરરિચના જબુનસરનો વતની હતો. તેમને એક બાળક છે. તેનો પતિ ખાનગી હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરે છે.