સુરત : સુરતમાં હવે દિવાળી વેકેશન શરૂ થઈ ગયું છે અને સુરતમાં રહેતા અનેક લોકો વતન પહોંચી રહ્યા છે. આ દિવસોમાં સુરત શહેરની વસ્તી ઘટવાથી પાણી પુરવઠાની માંગ પણ ઘટશે. જેને ધ્યાનમાં રાખીને સુરત પાલિકાએ વોટર વર્કસની જાળવણી હાથ ધરી છે. સુરત મહાનગરપાલિકાના વાલક ઈન્ટેકવેલમાં મેઈન્ટેનન્સની કામગીરીના કારણે મંગળવારે પાલિકાના પાંચ ઝોનમાં પાણી પુરવઠો નહીં રહે. આ મેન્ટેનન્સ કામગીરીના કારણે પાલિકાના વરાછા, સરથાણા મધ્ય, ઉધના અને લિંબાયત ઝોનના 11 લાખ લોકોને પાણી પુરવઠો ઉપલબ્ધ થશે નહીં.