વડોદરા: વડોદરામાં ઉતરાણ માટે પતંગ અને દોરીથી ઘાયલ પક્ષીઓની સારવાર માટે 10મીથી કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત વડોદરામાં વન વિભાગ, પશુપાલન વિભાગ અને વિવિધ એનજીઓના કાર્યકરો દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. ગઈકાલે સાંજ સુધીમાં 18 જેટલા પક્ષીઓને વનવિભાગ ખાતે સારવાર આપવામાં આવી હતી. આજે સવારે પણ અનેક પક્ષીઓ ઘાયલ થયા હતા. જેમાં એક ઘાયલ પેરેગ્રીન ફાલ્કન એટલે કે શિકારનું પક્ષી પણ આવ્યું હતું.