![]()
વડોદરામાં ડૂબી જવાની ઘટનામાં ત્રણ ગુમ વડોદરા જિલ્લામાં રવિવાર (22 માર્ચ)ના રોજ બે અલગ-અલગ ડૂબી જવાના બનાવોને લઈને હોબાળો મચી ગયો છે. વાઘોડિયાના આલમગઢ તળાવમાં ન્હાવા ગયેલા ચાર પૈકી બે મિત્રો લાપતા થયા છે, જ્યારે શિનૂર પાસે નર્મદા નદીમાં પરિક્રમા કરી રહેલા યુવકનું ડૂબી જવાથી મોત થયું છે. હાલ ફાયર બ્રિગેડ દ્વારા ત્રણેયની શોધખોળ તેજ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ શહીદ દિન નિમિત્તે વડોદરા શહેરમાં સવારે પ્રભાતફેરી યોજાઈઃ ભાજપના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ
આલમગઢ તળાવમાં ચાર મોટેરા ડૂબી ગયા
મળતી માહિતી મુજબ, વાઘોડિયા તાલુકાના આલમગઢ ગામમાં ગઈકાલે (22 માર્ચ) ચાર યુવકો તળાવમાં ન્હાવા પડ્યા હતા. દરમિયાન અચાનક ચારેય યુવકો ડૂબવા લાગ્યા હતા. જોકે, બંને યુવકો તરવાનું જાણતા હોવાથી જીવ બચાવીને બહાર નીકળવામાં સફળ રહ્યા હતા, જ્યારે યુવકો ડૂબી ગયા હતા. સાંજ સુધી કોઈ મદદ મળી ન હોવાથી વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી છે. ફાયર ટીમ દ્વારા બોટ અને ડાઇવર્સની મદદથી તળાવમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
નર્મદા નદીમાં એક યુવક ડૂબી ગયો
બીજી ઘટના શિનોર તાલુકામાં બની હતી, જ્યાં નર્મદા પરિક્રમા માટે આવેલ યુવક નદીમાં ડૂબી ગયો હતો. પ્રાથમિક માહિતી મુજબ યુવક નર્મદા મૈયાના દર્શન કરવા અને ન્હાવા ગયો હતો તે દરમિયાન તે ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ફાયર બ્રિગેડની ટીમ ગઈકાલથી શોધખોળ કરી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ સફળતા મળી નથી. આજે વહેલી સવારથી ફરી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. વડોદરા ફાયર બ્રિગેડની ટીમો બંને જગ્યાએ કામ કરી રહી છે. જ્યારે ગ્રામ્ય પોલીસ પણ આ બંને બાબતે તપાસ કરી રહી છે.