અમદાવાદ, સોમવાર
મેમનગર માનવ મંદિર પાસે કોમર્શિયલ સ્કીમ શરૂ કરીને બિલ્ડીંગના સાતમા માળે સાત ઓફિસ અપાવવાનું કહીને બે બિલ્ડર સહિત ચાર શખ્સોએ એક યુવક પાસેથી 3.24 કરોડ રૂપિયા લઈને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
વસ્ત્રાપુર સુરેલ બંગ્લોઝમાં રહેતા જશ ભાટિયાએ નોંધાવેલી ફરિયાદની વિગત એવી છે કે તે જમીનના લે-વેચ અને ખરીદ-વેચાણનો વ્યવસાય કરતો હોવાથી તેના વ્યવસાય સાથે સંકળાયેલા મનીષ રાઠોડ (રહે. પુષ્પક પ્લેટિનમ, ઈસ્કોન-આંબલી રોડ) સાથે તેની ઓળખાણ થઈ હતી. થોડા મહિનાઓ પહેલા તે પ્રતિક કેજરીવાલ અને નિકિન પટેલને મનીષ રાઠોડ દ્વારા સેટેલાઇટના કોફીશોપમાં મળ્યા હતા. બંને શખ્સોએ માનવ મંદિર મેમનગર ખાતે સહદેવ કેપિટોલ નામની સ્કીમ શરૂ કરી હોવાનું જણાવ્યું હતું.
જેમાં સારું વળતર મળે છે. આથી જશ ભાટિયાએ યોજનાના સાતમા માળે સાત ઓફિસ બુક કરાવવાનું નક્કી કર્યું અને તેને 4.77 કરોડમાં વેચી દીધું. બીજી તરફ જશ ભાટિયા મનીષ રાઠોડ પાસેથી ત્રણ કરોડ લેવાના હોવાથી તેમણે નક્કી કર્યા મુજબ બિલ્ડરને ત્રણ કરોડ આપવાની ખાતરી આપી હતી અને રૂ.10 લાખ ટોકન અને ત્રણ કરોડ જમા કરાવ્યા હતા. તે પછી 1.77 કરોડની રકમ બાકી હતી. બીજી તરફ, પ્રતિક કેજરીવાલ અને નિકિન પટેલે બીયુ પરવાનગીના દસ્તાવેજ કરવાની ખાતરી આપી હતી. પરંતુ તેમ છતાં દસ્તાવેજો આપ્યા વગર 3.24 કરોડની રકમ લઈને છેતરપિંડી કરી હતી. આ અંગે સેટેલાઇટ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.



