સુરત શહેરમાં મેટ્રોની ધીમી અને નબળી કામગીરીના કારણે ટાવર રોડના વેપારીઓની દિવાળી બગડી હતી. હવે મેટ્રોએ ફૂટ રોડ ખુલ્લો કર્યો છે પરંતુ તે માત્ર સાત ફૂટનો હોવાથી વેપારીઓની મુશ્કેલીઓ વધી રહી છે. ખુલ્લા રોડને દુકાનોથી ઉંચો કરી દેવામાં આવ્યો છે, જેના કારણે છેલ્લા એક મહિનામાં અનેક અકસ્માતો થયા છે. નગરપાલિકા, પોલીસ, કલેક્ટર, ધારાસભ્યથી માંડીને ગાંધીનગર સુધી રજૂઆત કરી છે પરંતુ સમસ્યાનું નિરાકરણ ન આવતાં વેપારીઓમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. મેટ્રોના કારણે સુરત ટાવર રોડના 122 દુકાનદારોએ મેટ્રોના કારણે ગ્રાહકો ગુમાવ્યા છે અને તેમની મુશ્કેલી પહેલા કરતા વધુ વધી રહી છે.