cURL Error: 0 ભાવનગરના કાળિયાર અભયારણ્યમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા - PratapDarpan
Home Gujarat ભાવનગરના કાળિયાર અભયારણ્યમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા

ભાવનગરના કાળિયાર અભયારણ્યમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા

0

  • પાંચ દિવસ દરમિયાન, રાષ્ટ્રીય ઉદ્યાનને સારી આવક મળી,
  • આ વખતે વિદેશી પ્રવાસીઓમાં પણ વધારો થયો છે.
  • પ્રવાસીઓ માટે વધુ સુવિધાઓ ઉભી કરવા માંગે છે

ભાવનગર: ગોહિલવાડના વલ્લભીપુરથી 26 કિમી દૂર આવેલું કાળિયાર અભયારણ્ય હવે પ્રવાસીઓ માટે પ્રખ્યાત બની રહ્યું છે. દિવાળીના તહેવારો દરમિયાન, કાળિયાર અભયારણ્યમાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. દિવાળીની રજાઓમાં કુલ 2679 ભારતીય પ્રવાસીઓ અને 48 વિદેશી પ્રવાસીઓએ પણ મુલાકાત લીધી હતી.

વેળાવદર (ભાલ) ખાતે આવેલ કાળા હરણ રાષ્ટ્રીય અભયારણ્યની દેશ-વિદેશથી મોટી સંખ્યામાં લોકોએ મુલાકાત લીધી હતી. તહેવારો અને વેકેશનના દિવસોમાં પ્રવાસીઓએ ખૂબ મજા કરી હતી. ઓક્ટોબર અને નવેમ્બર-2024માં દિવાળીના તહેવારની શરૂઆત દરમિયાન કુલ 2679 ભારતીય પ્રવાસીઓ અને 48 વિદેશી મુલાકાતીઓએ વલભીપુર તાલુકાથી માત્ર 26 કિમી દૂર આવેલા રાષ્ટ્રીય કાળીયાર હરણ અભયારણ્યની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષની સરખામણીમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં બમણી અને વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં દસ ગણો વધારો થયો છે. દિવાળીના તહેવારોના પાંચ દિવસ દરમિયાન રાષ્ટ્રીય ઉદ્યાનમાં સારી આવક થઈ હતી. અને હજુ પણ દિવાળી વેકેશનનો સમયગાળો વધુ એક સપ્તાહ જેટલો બાકી છે અને હીરા ઉદ્યોગમાં પણ વેકેશન લાંબુ હોવાથી અભયારણ્ય ખાતે મુલાકાતીઓ વધી શકે છે.

વેળાવદર કાળીયાર અભયારણ્ય ભાવનગરથી 47 કિમી દૂર છે. જ્યારે વલભીપુર 26 કિમી દૂર છે. મેગા સ્ટાર અમિતાભ બચ્ચન પણ ગુજરાત પ્રવાસન વિભાગના પ્રવાસન પ્રમોશનના ભાગરૂપે થોડા વર્ષો પહેલા કાળીયાર નેશનલ રિઝર્વ ખાતે શૂટિંગ કરવા આવ્યા હતા. અને જો રાજ્યનું પ્રવાસન વિભાગ પ્રવાસીઓ માટે વધુ સુવિધાઓ ઉભી કરે તો પ્રવાસીઓની સંખ્યામાં વધુ વધારો થઈ શકે તેમ છે.

The post ભાવનગરના કાળિયાર અભયારણ્યમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા appeared first on Revoi.in.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version