![]()
હારીજ ચાણસ્મા હાઇવે અકસ્માત: પાટણ જિલ્લાના હારીજ-ચાણસ્મા હાઇવે પર લકઝરી બસ પલટી જતાં 2 લોકોના મોત થયા છે જ્યારે 18 લોકોને વધુ સારવાર માટે પાટણની જનતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જેઓને પ્રથમ હારીજની સરકારી રેફરલ હોસ્પિટલમાં રીફર કરાયા બાદ વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. એક્ટિવા નીચે પડી જતાં અકસ્માત સર્જાયો હતો, બસ ચાલકે તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જેથી લકઝરી બસ રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી.
2 લોકોના મોત, 18 લોકો ઘાયલ
પ્રાથમિક માહિતી મુજબ હારીજ-ચાણસ્મા હાઈવે પર આઈટીઆઈ કોલેજ પાસે એક્ટિવા ચાલકને બચાવવા જતાં લકઝરી બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. જે બાદ લક્ઝરી પલટી મારી ગઈ હતી. જેમાં 2 લોકોના મોત થયા હતા અને 18 લોકો ઘાયલ થયા હતા. પાંચ ગામના લેઉવા પાટીદારોના વડીલો લક્ઝરી બસમાં વંદના કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો.
બસ ચીસો પાડી
અકસ્માત એટલો ભયંકર હતો કે બસમાં સવાર મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા. બસની અંદરથી મદદ માટે બૂમો પડી રહી હતી, રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા. ઘટના અંગે જમેન 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરી બસમાંથી લોકોને બહાર કાઢવા બચાવ કામગીરી હાથ ધરી હતી.
આ પણ વાંચોઃ કચ્છમાં ‘કાશ્મીર’ જેવી સ્થિતિ: 3.8 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર, વાહનો પર બરફ!
બીજી તરફ અકસ્માતની જાણ સગા સંબંધીઓને થતાં હોસ્પિટલ બહાર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિક પોલીસે ઘટનાસ્થળેથી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો, હવે પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

