AMNS કંપનીમાં આગની ઘટના: સમગ્ર દેશમાં અને ગુજરાતમાં નવા વર્ષની ઉજવણી ચાલી રહી છે ત્યારે સુરત જિલ્લાના હજીરામાં AMNS કંપનીના પ્લાન્ટમાં આગની દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં 4 મજૂરોના મોત થયા હતા, જ્યારે 10 લોકો દાઝી જવાથી ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્ત તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આગ અકસ્માતમાં 4 મજૂરોના મોત
મળતી માહિતી મુજબ, સુરત જિલ્લાના હજીરા ખાતે AMNS કંપનીના કોરેક્સ-2 પ્લાન્ટની ચીમનીમાં મોડી સાંજે ભીષણ આગ ફાટી નીકળી હતી.