સોમનાથ મહાદેવના દર્શન: શ્રાવણ માસ દરમિયાન ભોલેનાથના ભક્તો સૌ પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મંદિરે દર્શન કરવા જાય છે. સોમનાથ ખાતે મહાદેવના દર્શન કરવા આવતા મોટાભાગના ભક્તો પોતાના વાહનો લઈને આવે છે. આ દરમિયાન જિલ્લા કલેક્ટર દ્વારા ટ્રાફિક જામના દ્રશ્યો નિવારવા અને કાયદો અને વ્યવસ્થાના પાલન અંગે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, આ પરિપત્ર 3 નવેમ્બર સુધી અમલમાં રહેશે અને પરિપત્રનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ભક્તો માટે પાર્કિંગ વ્યવસ્થા અંગે જિલ્લા કલેક્ટરની જાહેરાત
જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડીને જણાવ્યું છે કે સોમનાથ મહાદેવ મંદિરે આવતા ભક્તોના વાહનો સફારી બાયપાસ, ગુડલક સર્કલ અને વેણેશ્વર થઈને નવા ગૌરીકુંડ પાસે પાર્ક કરવાના રહેશે. જ્યારે મહાદેવના દર્શન કર્યા બાદ ભક્તોએ તેમના વાહનો પાર્કિંગ સ્થળેથી લઈને ત્રિવેણી રોડ પર પ્રજાતાપી ધર્મશાળા પાસે નવા બનેલા સિમેન્ટ રોડથી સદભાવના મેદાન તરફ અને ત્યાંથી સીધા સફારી બાયપાસ થઈને પાછા ફરવાનું હોય છે.
આ પણ વાંચોઃ બીચ પર આતંકી હુમલો, 32ના મોત: સોમાલિયાની રાજધાનીમાં હુમલા બાદ 63 ઘાયલ
અમુક વિસ્તારોમાં નો પાર્કિંગ ઝોન
તેમજ વન-વે રોડ હોવાથી ગુડલક સર્કલ તરફથી આવતા વાહનો સોમનાથ શોપીંગ સેન્ટર – જુના અહલ્યાબાઈ મંદિર – એટીએમ લેન થઈને બહાર નીકળી શકશે. જ્યારે નો પાર્કિંગ ઝોનમાં ગુડલક સર્કલથી હમીરજી સર્કલ સુધી અને હમીરજી સર્કલથી ત્રિવેણી રોડ સુધીના રૂટમાં પાર્કિંગની વ્યવસ્થા ન હોવાથી યાત્રિકોને તેમના વાહનો યોગ્ય જગ્યાએ પાર્ક કરવા સૂચના આપવામાં આવી હતી.
આ પણ વાંચો: ગુજરાતમાં 24 કલાક ભારે વરસાદની આગાહી, જુઓ ઓરેન્જ અને યલો એલર્ટનું લેટેસ્ટ અપડેટ
3 નવેમ્બર સુધી જાહેરનામું અમલમાં રહેશે
સોમનાથ આવતા યાત્રિકોની સલામતી અને આરામને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર એક્શન મોડમાં આવ્યા છે, નવ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, 10 ક્લાર્ક, ત્રણ રેવન્યુ તલાટીને કલેક્ટર દ્વારા જવાબદારી સોંપવામાં આવી છે. આ જાહેરનામું 5 ઓગસ્ટથી લાગુ કરવામાં આવશે અને 3 નવેમ્બર સુધી અમલમાં રહેશે.આ દરમિયાન જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.