![]()
જૂનાગઢ સમાચાર: જૂનાગઢના મેંદરડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલના ત્રાસથી પત્નીએ આપઘાત કર્યાની પત્નીના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મૃતકના પિતાની ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી પોલીસકર્મીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મેંદરડામાં પોલીસ કોન્સ્ટેબલની પત્નીએ આપઘાત કર્યો
મળતી માહિતી મુજબ, મેંદરડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ આશિષ દયાતરની પત્ની ભાવિશાએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. સમગ્ર ઘટના અંગે મૃતક પત્નીના પિતાએ પોલીસકર્મી જમાઈ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. મૃતક પત્નીના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા જમાઈ સામે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, જમાઈએ મારી પુત્રીને અન્ય મહિલા સાથે ગેરકાયદેસર સંબંધ રાખવાની સાથે શારીરિક-માનસિક ત્રાસ આપીને મરવા માટે મજબૂર કર્યો હતો.
આ પણ વાંચોઃ ભાવનગરમાં ફોરેસ્ટ ઓફિસરની પત્ની અને બે બાળકો 10 દિવસથી ગુમ, જમીનમાં દટાયેલા મળી આવ્યા
પોલીસ ફરિયાદ મુજબ પોલીસકર્મી પતિને અન્ય મહિલા સાથે અફેર હોવાથી પતિ-પત્ની વચ્ચે તણાવ હતો. મૃતકના પિતાએ આરોપ લગાવ્યો છે કે પતિનો ત્રાસ સહન ન કરી શકતી પત્નીએ મોતને ઘાટ ઉતારી છે. સમગ્ર મામલે પોલીસે પોલીસકર્મીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.