![]()
છોટા ઉદેપુર સમાચાર: ગુજરાતના અંતરિયાળ ગામડાઓ સહિત અનેક વિસ્તારોમાં અંધશ્રદ્ધાના બનાવો પ્રકાશમાં આવી રહ્યા છે. જેમાં ભુવા અને તાંત્રિક વિધિની આડમાં લોકો હત્યા સહિતના ગુનાઓ આચરતા હોવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે છોટાઉદેપુરમાં અંધશ્રદ્ધાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં છોટાઉદેપુરની ખાનગી હોસ્પિટલમાં બીમાર દર્દીનું મૃત્યુ થતાં તેના સ્વજનો શબપેટી સાથે મૃતકની ‘આત્મા’ લેવા પહોંચ્યા હતા. જ્યાં ભુવો હોસ્પિટલ કેમ્પસની બહાર પૂજા વિધિ કરતો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.
છોટાઉદેપુરમાં હોસ્પિટલ કેમ્પસ બહાર કલાકો સુધી તાંત્રિક વિધી!
છોટાઉદેપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક દર્દીનું મોત થયું હતું. દર્દીના મૃત્યુ પછી, સ્વજનો મૃતકના આત્માને લેવા માટે એક ભુવાને હોસ્પિટલમાં લાવ્યા હતા, જ્યાં ભુવા કલાકો સુધી હોસ્પિટલની બહાર પૂજા વિધિ કરીને પડ્યા હતા. આ દરમિયાન મૃતકના પરિવારજનો સહિત અનેક લોકો હોસ્પિટલની બહાર એકઠા થઈ ગયા હતા. ભુવાની વિધિ જોઈ સારવાર માટે આવેલા દર્દીઓ અને તેમના પરિવારજનોમાં ગભરાટ ફેલાયો હતો.
મૃતકની ‘આત્મા’ લેવા ભુવા બોલાવી, દર્દીઓમાં ભય
ભુવાએ હોસ્પિટલ કેમ્પસની બહાર પૂજા અર્ચના કર્યાની ઘટના બાદ સ્થાનિકોમાં હોબાળો મચી ગયો હતો. સ્થાનિકોનું કહેવું છે કે આ પ્રકારની અંધશ્રદ્ધાની ઘટનાને પગલે સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.
આ પણ વાંચોઃ અમદાવાદનો અનોખો કાર ચોરઃ એક્ટિવામાંથી પેટ્રોલ ખતમ થઈને રોડ પર છોડી દીધું, આખરે ઝડપાઈ ગયું
ઉલ્લેખનીય છે કે, છોટાઉદેપુર નગરની સરકારી હોસ્પિટલની બહાર થોડા મહિનાઓ પહેલા આવી ઘટનાઓ બની હતી. 5G ઇન્ટરનેટના યુગમાં અંધશ્રદ્ધાના બનાવો સામે તંત્રની નિષ્ક્રિયતા છતી થાય છે. સમાજને સુધારવા અને અંધશ્રદ્ધા દૂર કરવાના સરકારના પ્રયાસો સામે અનેક સવાલો ઉભા થયા છે.