ગોંડલ રાજ્ય રાજા વિવાદ: ગોંડલ રાજ્યના નામે નકલી રાજા ફરતો હોવાનો દાવો કરતા ખળભળાટ મચી ગયો છે. આ દાવો ગોંડલ સ્ટેટના મહારાજા હિમાંશુસિંહ જાડેજાએ કર્યો છે. હિમાંશુસિંહ જાડેજાએ દાવો કર્યો છે કે યદુવેન્દ્રસિંહ જાડેજા નકલી મહારાજ છે. અમદાવાદમાં યોજાયેલા ક્ષત્રિય સમામેલમાં યદુવેન્દ્રસિંહ રાજા ન હોવા છતાં હાજર રહ્યા હોવાનો આરોપ છે. હિમાંશુ સિંહે આરોપ લગાવ્યો છે કે નવ પેઢીથી વિખૂટા પડી ગયેલા ભાયત યદુવેન્દ્રસિંહ પોતાને ગોંડલના મહારાજ ગણાવે છે.
…અને પછી મામલો ચર્ચામાં આવ્યો
મહેસાણા અને અમદાવાદમાં ગોતા સહિતના કાર્યક્રમોમાં યદુવેન્દ્રસિંહ જાડેજા નામની વ્યક્તિ ગોંડલના ‘યુવરાજ’ તરીકે ઉભો થયો હોવાની વિગતો સોશિયલ મીડિયામાં ફરતી થઈ હતી. આ અંગે ગોંડલના કેટલાક લોકોએ રાજવી પરિવારને જાણ કરી હતી. આ જાણીને રાજવી પરિવાર પણ ચોંકી ગયો હતો.