અમદાવાદઃ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (NIMCJ) દ્વારા અનોખો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. “કચ્છ એક્સપ્રેસ” જેવી સુપરહિટ અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ગુજરાતી ફિલ્મના પટકથા લેખક રામ મોરીને શાલ અને સ્મૃતિ ચિહ્ન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે વિદ્યાર્થીઓ સાથે તેમની સાહિત્ય સર્જન યાત્રાનું વર્ણન કરતાં તેમણે જણાવ્યું હતું કે વૈશ્વિકરણની સફળતા આપણા સાંસ્કૃતિક મૂળને સાચવવાથી જ મળશે. તેમણે દરેકને ગુજરાતી ભાષા અને ગુજરાતી વ્યવહાર જાણવા અને પ્રોત્સાહન આપવા પ્રેરણા આપી. વધુમાં, તેમણે વિવિધ ઉદાહરણો સાથે સર્જનાત્મક લેખનની શરૂઆત કેવી રીતે કરવી તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત, તેમણે કહ્યું કે નિષ્ફળતાથી ડરશો નહીં અને હંમેશા તમારા પોતાના કામ અને કુશળતામાં વિશ્વાસ રાખો. આ અભિગમથી જ તેઓ માત્ર 22 વર્ષની વયે રાષ્ટ્રીય પુરસ્કાર જીતનાર પ્રથમ યુવા ભારતીય લેખક બન્યા. ‘મહોતુન’ નામના વાર્તાઓના સંગ્રહે તેમની પ્રગતિ અને ખ્યાતિમાં અનેકગણો વધારો કર્યો. અંતે તેમણે વિદ્યાર્થીઓને એક લોકગીત સંભળાવ્યું અને તે લોકગીતનો અર્થ પણ સમજાવ્યો.
આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના ડાયરેક્ટર ડો.શિરીષ કાશીકર, પ્રોફેસરો કૌશલ ઉપાધ્યાય, નિલેશ શર્મા, ગરિમા ગુણાવત, ડેપ્યુટી ડાયરેક્ટર ઇલાબેન ગોહિલ, ગ્રંથપાલ માનસી સરવૈયા અને વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.
The post ગુજરાતી ફિલ્મોના યુવા પટકથા લેખક રામ મોરીનું NIMCJ દ્વારા સન્માન appeared first on Revoi.in.