અમદાવાદ, રવિવાર
કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના હત્યારા માટે ઈનામની જાહેરાત કર્યા બાદ કરણી સેનાએ બિશ્નોઈ ગેંગના અન્ય આતંકવાદીઓ માટે પણ ઈનામની જાહેરાત કરી છે. તેણે અનમોલ બિશ્નોઈ, ગોલ્ડી બ્રાર, રહિત ગોદારા, સંપત નેહરા અને વીરેન્દ્ર ચારણના હત્યારાઓ માટે મોટું ઈનામ પણ જાહેર કર્યું છે. કરણી સેનાના રાજ શેખાવતે કરણી સેનાના સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાનો બદલો લેવા માટે આ જાહેરાત કરી છે. કરણી સેનાના રાજ શેખાવતે અગાઉ કરણી સેનાના પૂર્વ પ્રમુખ સુખદેવસિંહ ગોગામેડીની હત્યાનો બદલો લેવા માટે લોરેન્સ બિશ્નોઈ સામે મહત્વની જાહેરાત કરી હતી. જેમાં લોરેન્સ બિશ્નોઈના હત્યારા માટે એક કરોડ અગિયાર લાખનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.

