ભાજપની તિરંગા યાત્રા: 15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે ભાજપ દ્વારા 11મી ઓગસ્ટથી ગુજરાત સહિત દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના ચાર મહાનગરો સહિત અન્ય મોટા શહેરોમાં ત્રિરંગા યાત્રા કાઢવામાં આવશે. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા ઉપસ્થિત રહેશે. બીજી તરફ સરકાર દ્વારા ત્રિરંગા યાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
અમદાવાદ, સુરત, વડોદરા સહિતના મોટા શહેરોમાં તિરંગા યાત્રાનો પ્રારંભ થશે
રાજ્ય સહિત દેશભરમાં ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલ ઉપસ્થિત રહેશે. જ્યારે 12 ઓગસ્ટે વડોદરા અને 13 ઓગસ્ટે અમદાવાદ ખાતે તિરંગા યાત્રા યોજાશે. તિરંગા યાત્રામાં સ્થાનિક પોલીસ, અર્ધલશ્કરી દળો અને સેનાના જવાનો ભાગ લેશે અને વિવિધ ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવશે. આ સાથે સરકાર દ્વારા તિરંગાનું વિતરણ કરવામાં આવશે.
રાજકોટમાં 50 હજાર અને સુરતમાં 1 લાખથી વધુ લોકો તિરંગા યાત્રામાં જોડાશે
રાજકોટ ખાતે 10 ઓગસ્ટથી ત્રિરંગા યાત્રાનો પ્રારંભ થશે. જેમાં રાજકોટમાંથી 50 હજારથી વધુ અને સુરતમાં એક લાખથી વધુ લોકો ત્રિરંગા યાત્રામાં જોડાશે. જ્યારે 14-15 ઓગસ્ટની હર ઘર તિરંગા યાત્રાની સરકાર દ્વારા રાષ્ટ્રપતિથી લઈને મંત્રીઓ સુધીની જવાબદારી સોંપવામાં આવી છે. બીજી તરફ, આજે (7 ઓગસ્ટ) કમલમ ખાતે પ્રદેશ ભાજપના નેતાઓની મેરેથોન બેઠક યોજાશે.