Friday, September 20, 2024
25.9 C
Surat
25.9 C
Surat
Friday, September 20, 2024

ઉમરગામના વાંકાશ-મલાવ ગામે ટ્રકની અડફેટે 10 પશુઓના મોત, ટ્રક ચાલક ભાગી ગયો

Must read

ઉમરગામના વાંકાશ-મલાવ ગામે ટ્રકની અડફેટે 10 પશુઓના મોત, ટ્રક ચાલક ભાગી ગયો

વાપી સમાચાર: ભીલાડ-ઉમરગામ રોડ પર આવેલા મલાવ ગામમાં ગઈ કાલે ગુરુવારે રાત્રે અજાણ્યા ટ્રક ચાલકે એક પ્રાણીને અડફેટે લેતા તેનું મૃત્યુ થયું હતું અને વાંકાશ ગામ ખાડીના પુલ પર 9 પશુઓ પર દોડી ગયા હતા. જેમાં 7 પશુઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે બે પશુઓને ઇજા પહોંચી હતી. આ ગંભીર અકસ્માતમાં આઠ પશુઓના મોત નિપજતાં જીવને પ્રેમ કરતા લોકો સહિત લોકોમાં આક્રોશ ફેલાયો હતો.

બનાવ સ્થળ અને પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, ભીલાડ-ઉમરગામ રોડ પર ગઈકાલે ગુરુવારે રાત્રે એક ટ્રક પસાર થઈ રહી હતી. મલાવ ગામમાં રોડ પર રખડતા પશુને ટ્રક ચાલકે ટક્કર મારતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને ચાલકે પુરપાટ ઝડપે ટ્રક હંકારી હતી. બાદમાં વાંકેશ ગામમાં ખાડીના પુલ પર બેઠેલા પશુઓ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ચાલક ટ્રક લઈને ફરાર થઈ ગયો હતો. ઘટનાને પગલે લોકો દોડી આવ્યા હતા. આ ગંભીર અકસ્માતમાં નવ પૈકી સાત પશુઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે બે પશુઓને ગંભીર ઇજા પહોંચી હતી.

બનાવને પગલે પોલીસ અધિકારી સહિતની ટીમ વાંકેશ દોડી ગઈ હતી. ગૌરક્ષકો પણ દોડી આવ્યા બાદ ઇજાગ્રસ્ત બે પશુઓને સારવાર અને વધુ સારવાર માટે સોલસુંબા પાંજરામાં લઇ જવા પડ્યા હતા. એક સાથે આઠ પશુઓના મોતને પગલે લોકોમાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી આરોપીઓ સુધી પહોંચવા કવાયત હાથ ધરી હતી. અત્રે નોંધનીય છે કે, ઉમરગામના સોલસુંબા ગામમાં થોડા દિવસો પહેલા એક કાર ચાલકે ત્રણ પશુઓને કચડી નાંખતા ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉમરગામ તાલુકાના જાહેર અને કોસ્ટલ હાઈવે પર પશુ માલિકોની બેદરકારીના કારણે દિવસ-રાત રસ્તાઓ પર પશુઓ રખડતા હોવાથી વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આવા અકસ્માતો પણ બની રહ્યા છે. રસ્તા પર ઢોર પકડવામાં બેદરકારી દાખવતા ઢોર માલિકો સામે તંત્ર કડક હાથે કાર્યવાહી કરે તે જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article