ઈરાનમાં ફસાયેલા ઉમરગામ સહિત રાજ્યના 72 માછીમારો ભારત પરત ફર્યા ઈરાનમાં ફસાયેલા ઉમરગામ સહિત ગુજરાતના 72 માછીમારો ભારત પરત ફરવા નીકળ્યા

ઈરાનમાં ફસાયેલા ઉમરગામ સહિત રાજ્યના 72 માછીમારો ભારત પરત ફર્યા ઈરાનમાં ફસાયેલા ઉમરગામ સહિત ગુજરાતના 72 માછીમારો ભારત પરત ફરવા નીકળ્યા

ઈરાનમાં ફસાયેલા ઉમરગામ સહિત રાજ્યના 72 માછીમારો ભારત પરત ફર્યા ઈરાનમાં ફસાયેલા ઉમરગામ સહિત ગુજરાતના 72 માછીમારો ભારત પરત ફરવા નીકળ્યા

ઈરાનમાં ગુજરાતના માછીમારો: ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે કિસ્ત ટાપુ પર ફસાયેલા ઉમરગામ સહિત રાજ્યના 72 માછીમારો આર્મેનિયા એરપોર્ટ પર પહોંચ્યા બાદ વિમાનમાં ભારત જવા રવાના થયા છે. યુદ્ધની પરિસ્થિતિમાં ફસાયેલા તમામ માછીમારો ભારત પરત ફરતા પરિવારજનોમાં આનંદની લહેર ફેલાઈ ગઈ છે.

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ ફાટી નીકળવાના કારણે વલસાડ જિલ્લાના ઉમરગામના મરોલીના 25 થી વધુ સહિત રાજ્યના 72 માછીમારો ઈરાનના કિસ્ટ ટાપુ પર ફસાયા હતા. જેના કારણે માછીમાર પરિવારો ચિંતામાં મુકાયા હતા. એટલું જ નહીં પરંતુ ફસાયેલા માછીમારો 35 દિવસથી વધુ સમયથી બોટમાં રહેતા હતા. આખરે માછીમારોને ઈરાનથી 1500 કિમીની મુસાફરી કરવા માટે 20 દિવસના વિઝા મળ્યા. દૂરના આર્મેનિયા પહોંચ્યા. માછીમારોએ સરકારને આર્મેનિયા એરપોર્ટ પરથી ભારત પરત ફરવામાં મદદ કરવા પણ અપીલ કરી હતી.

40 દિવસની જહેમત બાદ આખરે આર્મેનિયા એરપોર્ટ પર પહોંચેલા તમામ માછીમારો વિમાન દ્વારા ભારત જવા રવાના થયા હતા. આ વીડિયોમાં માછીમારોએ મીડિયા અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. તમામ માછીમારો 40 દિવસ બાદ ભારત પરત ફર્યા હોવાની માહિતી મળતા માછીમારોના પરિવારજનોએ રાહત અનુભવી છે. આવતીકાલે રવિવારે તમામ માછીમારો પોતાના ઘરે પહોંચી જશે.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]