આ કેવો ‘વિકાસ’ છે? અહીં ગુજરાતમાં ચોમાસામાં લોકોને તાડપત્રીની મદદથી અંતિમ સંસ્કાર કરવાની ફરજ પડે છે.

આ કેવો ‘વિકાસ’ છે? અહીં ગુજરાતમાં ચોમાસામાં લોકોને તાડપત્રીની મદદથી અંતિમ સંસ્કાર કરવાની ફરજ પડે છે.

અપડેટ કરેલ: 12મી જુલાઈ, 2024

આદિવાસી વિસ્તારના લોકોની સ્થિતિ: ત્રણ દાયકાથી સત્તામાં હોવા છતાં વિકાસ તેની સીમાએ પહોંચી ગયો હોવાની શેખી મારતી ભાજપ સરકાર વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં કહેવાતો વિકાસ કરી શકી નથી. વરસાદી વાતાવરણમાં લોકોને ખુલ્લા આકાશ નીચે પોતાના મૃત સ્વજનોના અંતિમ સંસ્કાર કરવાની ફરજ પડી રહી છે. બારપુડા ગામમાં તાડપત્રીની મદદથી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આઝાદીના 75 વર્ષ પછી પણ અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં લોકોની હાલત દયનીય છે.

આ પણ વાંચોઃ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 117 તાલુકામાં મેઘ મહેર, દક્ષિણ ગુજરાતમાં વરસાદની નવી આગાહી

ગુજરાતમાં ભાજપ સરકારના ત્રણ દાયકાના શાસનમાં છેવાડે પહોંચેલો કહેવાતો વિકાસ વલસાડ જિલ્લાના છેવાડાના કપરાડા તાલુકા સુધી પણ પહોંચ્યો નથી. તેની સાબિતી ચોમાસાની શરૂઆત સાથે મળી જાય છે. કપરાડા તાલુકાના બરપુડા ગામમાં, ચોમાસા દરમિયાન વરસાદી વાતાવરણમાં ખુલ્લામાં અંતિમ સંસ્કાર કરવામાં આવે છે કારણ કે ત્યાં છત સાથે પાકા સ્મશાન નથી.

આજદિન સુધી ગામમાં છતવાળી સ્મશાનભૂમિ નથી. ભારે વરસાદ પડતો હોવાથી આગ લગાડવી શક્ય નથી તેથી તાડપત્રીનો સહારો લેવો પડે છે. મહત્વનું છે કે કપરાડાના અંતરિયાળ વિસ્તારના અનેક ગામોમાં છતવાળી સ્મશાનભૂમિ ન હોવાથી લોકોને ચોમાસામાં આવી હાડમારી વેઠવી પડે છે.

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version