
અમરેલી સમાચાર: અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરીયાનું તેમના નામ સાથેનું નકલી લેટરપેડ સોશિયલ મીડિયા પર વાયરલ થતા કાનપરીયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી અને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલને પત્ર લખીને ઘટનાની જાણ કરવામાં આવી હતી. પત્રમાં ધારાસભ્યને બદનામ કરવાના મામલે પોલીસે ભાજપના પૂર્વ હોદ્દેદાર અને એક મહિલા સહિત 4 કાર્યકરોની ધરપકડ કરી હતી. આ પછી પોલીસે કથિત લેટર કાંડમાં પટેલ સમાજની કુંવારી દીકરીનું સરઘસ કાઢ્યું હતું. સમગ્ર મામલે કોંગ્રેસ અગ્રણીની એન્ટ્રીથી સ્થાનિક રાજકારણ ગરમાયું છે, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે મુખ્યમંત્રી અને ખોડલધામના પ્રમુખ નરેશ પટેલને સંબોધીને પત્ર લખ્યો છે.

