12
પાટીદાર અનામત આંદોલન પર કરસન પટેલ પાટણ ખાતે લેઉવા પાટીદાર સમાજના ઇનામ વિતરણ કાર્યક્રમમાં હાજર રહેલા ઉદ્યોગપતિ કરસન પટેલે પાટીદાર અનામત આંદોલનને લઈને મોટું નિવેદન આપ્યું હતું. હાર્દિક પટેલ સહિતના પાટીદાર અનામત આંદોલનના આગેવાનો પર આડકતરો પ્રહાર કરતા કરસન પટેલે જણાવ્યું હતું કે, ‘પાટીદાર આંદોલનથી સમાજને કંઈ મળ્યું નથી અને અનામત આંદોલનમાં સમાજના યુવાનો જ શહીદ થયા છે. કોઈના ઈશારે પાટીદાર અનામત આંદોલનને વેગ આપી આનંદીબહેન પટેલ જેવા પાટીદારની દીકરીને મુખ્યમંત્રી પદેથી હટાવવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું.
કરસન પટેલે શું કહ્યું?
કરસન પટેલે કહ્યું કે, ‘આપણો પાટીદાર સમાજ એટલે ખેડૂતો અને ખેડૂતોએ ક્યારેય કોઈની સામે હાથ ઉપાડ્યો નથી.